સવાલ : કઈ ખાદ્ય ચીજમાંથી આપણી આવશ્યકતા જેટલું વિટમિન C મળી શકે ? ઓવરડોઝ્નું જોખમ ખરું? જવાબ : સરેરાશ ૧૦૦ ગ્રામ વજનદીઠ સૌથી વધારે વિટામિન C જામફળમાં( ૨૨૮ મિલિગ્રામ) હોય છે. જામફળ પછી અનુક્રમે કાળી દ્રાક્ષ ( ૨૦૦ મિલિગ્રામ), લાલ ભોલર મરચાં ( ૧૯૦ મિલિગ્રામ), તેમજ અથાણાંના લાલ મરચાંં ( ૧૪૪ મિલિગ્રામ) વિટામિન C વડે સમૃધ્ધ છે, પુખ્ત વયની વ્યક્તિને દૈનિક ૭૦ થી ૯૦ મિલિગ્રામ વિટામિન C જોઈએ. એક નારંગી એટલા સપ્લાય માટે પુરતી છે, રોજીંદા ખોરાકમાં રહેલાં વિટામિન A,D તથા E કેટલી માત્રામાં સ્વીકારવી તે શરીરતંત્ર પોતે નક્કિ કરે છે, ઈષ્ટતમ માત્રામાં તેઓ ચયાપચય દરમિયાન ગ્રહણ થાય છે, માટે તેમના ઓવરડોઝનો પ્રશ્ન રહેતો નથી, વિટામિનની ગોળીઓ ખાઓ ત્યારે ડોઝના નિયમનની વિધિ બાયપાસ થાય છે. વધારાનો પુરવઠો લીવરમાં જતો રહે છે અને ત્યાંં જમા થયા કરે છે, લાંબે ગાળે તેની માઠી અસરો વેઠવી પડે છે, રોજના ૨૫ મિલિગ્રામ જેટલું વિટામિન A સળંગ છ મહિના સુધી લેવામાં આવે તો શરીરને ઝેરી અસર / vitamin A toxicity વરતાવા માંડે છે. માથાના વાળ ખરે છે, દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે, ક્યારેક અહીંતહીં ત્વચા પણ નીકળી જાય છે. વિટામિન C અંગે
Popular posts from this blog
સવાલ : ફ્લેમિંગો અને બગલા જેવા અમુક પક્ષીઓ ઘણીવાર એક પગે કેમ ઉભા રહે છે ? જવાબ : એક પગે ઊભતું પક્ષી બીજો પગ પણ ઉંચકી લે તો ગબડી પડે તે ખુલાસો જોક તરીકે સારો છે, પરંતુ વધુ મજા સાયન્ટિફિક જવાબમાં રહેલી છે. એક પગે સમાધિ લગાવવાનું ફ્લેમિંગો અર્થાત સુરખાબ, માછીમાર બગલા, ટીટોડી, તુટવારી વગેરે લાંબા પગવાળા પક્ષીઓ માટે ખાસ જરૂરી બન્યું છે. શિયાળુ હવામાન વખતે આવાં પંખીડાઓએ તેમના શરીરનો ખાસ્સો ગરમાટો લાંબા પગ દ્વારા ગુમાવવાનો થાય, કારણ કે હૂંફાળા લોહીનું વહન કરતી રક્તવાહિનીઓ પગની ત્વચા પાસે છે. ઉષ્માનું વધુ પડતું ઉત્સર્જન રોકવા માટે કેટ્લીક સ્પીસીસનાં પંખીડા તેમના પગમાં કાઉન્ટર કરન્ટ સિસ્ટમ ધરાવે છે. ધમનીઓ અને નસો પરસ્પર ગૂંથાયેલી હોય છે. ધડથી પગ તરફ આવતું ગરમ લોહી પગથી ધડ તરફ જતા ઠંડી હવામાં કો ઠંડા પાણીમાં ટૂંક સમય માટે કાર્યક્ષમ નીવડે, પણ લાંબા સમયે શારીરિક ઉષ્માનું નેટ બેલેન્સ ઘટ્યા વગર રહેતું નથી. સુરખાબ જેવાં પંખીડા એટલા માટે તેમનો ડાબો યા જમણો પગ સંકોરી હૂંફાળા પેટાળના ઇન્સ્યુલેટર પીંછા વચ્ચે ડાબી રાખે છે. પરિણામે તેમના પૂરતો હિટ લોસ થતો નથી. ઉષ્મા સંચયના મુદ્દાને ઉલટ રીતે
Comments
Post a Comment