સવાલ : સૂર્યની પ્રદક્ષિણા લેતી પૃથ્વી તેનો 1 ચકરાવો પૂરો કરવા માટે કેટલું અંતર કાપે છે ? જવાબ : સૂર્ય ફરતે આપણી પૃથ્વીનો ભ્રમણમાર્ગ 93,98,86,400 ( ત્રાણું કરોડ અઠ્ઠાણું લાખ છ્યાંસી હજાર ચારસો ) કિલોમીટર જેટલો લાંબો છે. પૃથ્વી તે અંતર કલાકના સરેરાશ 1,07,220 ( એક લાખ સાત હજાર બસો વીસ ) કિલોમીટરની ઝડપે 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 43 સેકન્ડમાં કાપી નાખે છે, એક સૌર વર્ષ ત્યારે પૂરું થયું ગણાય,
Posts
- Get link
- Other Apps
સવાલ : ચીનનો માલ આપણે ત્યાં બનતા માલ કરતાં સસ્તો કેમ હોય છે ? જવાબ : અનેક કારણોમાં પહેલું એ કે ભારતની સરખામણી ચીને ઘણા વર્ષ અગાઉ ( 1978માં આર્થિક સુધારા અપનાવ્યા પછી તરત ) આધુનિક યંત્ર સામગ્રી આયાત કરી પોતાનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મોટા પાયે વિકસાવ્યું, ચીને જથ્થાબંધ ઉત્પાદન દ્વારા પોતાના માલને સસ્તો બનાવ્યો, જેની વેચાણ કિંમત ઓછી હોવાનું બીજું કારણ એ કે ત્યાં નિકાસ માટે બનતા માલ પૂરતો વીજળીનો દર, મજૂરીનું ધોરણ, રેલવેનું નૂર વગેરે તળિયાના લેવલે છે, ચીનમાં લોકશાહી નથી, એટલે જેલના કેદીઓને પણ મહેનતાણાનો લાભ આપ્યા વગર કામે લગાડી દેવાય છે, વળી, નવતર ટેકનોલોજી વિકસાવવા માટે રિસર્ચ અને ડેવલોપમેન્ટની ખર્ચાળ જફામાં પડયા વગર તે વિદેશી પ્રોડક્ટની ડિઝાઈન બેઠી અપનાવી લે છે, જ્યારે ભારતમાં આવી છૂટછાટો તો નથી જ પણ અન્ય કેટલીક નીતિઓ તથા વિવિધ કરને લીધે આપણે ત્યાં બનતો માલ ચીન કરતાં મોંઘો બને છે અને મોંઘો વેચાય છે.
- Get link
- Other Apps
સવાલ : દીવાસળી સળગે ત્યારે વિશિષ્ટ પ્રકારની ગંધ ફેલાય છે, આમાં કયો વાયું હોય છે ? જવાબ : દીવાસળીની ગંધ તેના ટોચકામાં વપરાયેલા પદાર્થો દ્વારા નક્કી થાય એ દેખીતું છે. એક પદાર્થ લાલ ફોસ્ફરસ છે, દીવાસળી ઘસો ત્યારે ઘર્ષણ દ્વારા જે થોડી ગરમી પેદા થાય તે ફોસ્ફરસને સળગાવવા માટે પૂરતી છે. ઑક્સિડાઈઝરનું કાર્ય બજાવતાં પોટેશિયમ ક્લોરેટનો ઑકસીજન મેળવીને દહન પામતો ફોસ્ફરસ ત્યારબાદ પોતાની ગરમી વડે તરત સલ્ફરને (ગંધકને) સળગાવે છે, સૌથી વધુ પ્રમાણ સલ્ફરનું હોય છે, એટલે દહન વખતે મુખ્યત્વે સલ્ફર ડાયોકસાઈટ વાયુ છૂટો પડે છે.
- Get link
- Other Apps
સવાલ : પાનખરીયા વૃક્ષોના પાંદડાં દર વર્ષે ખરી પડે છે, તો ચિરહરિત/EVERGEEN વૃક્ષો કેમ પાંદડાં કદી ખેરવાતાં નથી ? જવાબ : ચિરહરિત કહેવાતા વૃક્ષોનાં પાંદડાં સદા ટકી રહે છે એ ધારણા સાચી નથી. પાંદડાં તેમના પણ ખરે છે, પરંતુ સામટાં નહિ, વારાપ્રમાણે ખરવાનો ક્રમ બારેમાસ ચાલતો રહે છે. આ વૃક્ષો પાનખર ઋતુમાંય પાંદડા વડે ભરચક દેખાવને લીધે EVERGREEN કહેવાયા છે. જ્યારે સાંચી વાત એ છે કે સરેરાશ પાંદડું બે - ત્રણ વર્ષથી લાંબો સમય ટકતું નથી, બહુ થોડાં વૃક્ષો એવા છે કે જેમના પાંદડા ચાર કે પાંચ વર્ષ સુધી ખરે નહિ. ઉષ્ણકટિબંધમાં થતા ઘણાખરા EVERGREEN વૃક્ષોના પાંદડાં ખેરાઉ વૃક્ષોના પાંદડાં કરતાં વધુ જાડાં અને રબ્બરિયાં હોય છે. જ્યારે શીતકટિબંધમાં ચીડ જેવા EVERGREEN વૃક્ષો ત્યાંના ઠંડા તેમજ સૂકા હવામાનને અનુલક્ષી સોય આકારના પાંદડા ધરાવે છે, બેઉ જાતના વૃક્ષો તેમના પાંદડાં ખેરવાતાં રહે છે.
- Get link
- Other Apps
સવાલ : માણસના કાન 20 હર્ટઝ કરતાં નીચી અને 20,000 હર્ટઝથી ઊંચી કંપસંખ્યાનો અવાજ કેમ સાંભળી શકતા નથી ? જવાબ : અવાજની પરખ કાનના પડદાની સંવેદનાશીલતા પર અવલંબે છે. અવાજનાં મોજાની ફ્રિકવન્સીંમાં કમ્પાતો પડદો પોતાની ધ્રુજારીનો ફીડબેક કાનના મધ્યવર્તિ ભાગ મારફતે આંતરિક હિસ્સાને મોકલે છે. જયાં અવાજનાં મોજાં વિદ્યુત સિગ્નલોમાં રૂપાંતર પામી મગજ તરફ આગળ વધે છે. જોવાની ક્રિયા જેમ આંખને બદલે મગજમાં થાય છે. તેમ સાંભળવાનું કાર્ય પણ કાનનું નહિ, મગજનું છે, કાન ફક્ત મગજને અવાજનો ફીડબેક આપે છે. જોને એકત્રીત કરવામાં પહેલું સ્ટેજ પડદા વડે અવાજનાં મોજાં ઝીલવાનું છે. હાઇડ્રોજન રેણુના વ્યાસ જેટલો કંપવિસ્તાર પેદા થાય એવા મંદ અવાજને પણ તે અત્યંત Low ફ્રિકવન્સીંમાં ધ્રુજીને રજીસ્ટર કરી લે છે, પરંતુ 20 હર્ટઝ કરતાં ઓછી કંપસંખ્યા ધરાવતા અવાજના નબળાં મોજાં તેને ધુજાવી શકતાં નથી. આ મોજા કાનના પદડામાં જ સ્પંદનો ન જન્માવે એટલે મગજ સુધી સંકેત પહોંચે નહિ. ટૂંકામા, શ્રવણક્રિયા માટે 20 હર્ટઝ એ ન્યુનતમ લિમિટ છે, અધિકતમ લિમિટ 20,000 હર્ટઝ એટલા માટે છે કે કાનનો પડદો અત્યંત સ્થિતિસ્થાપક હોવાં છતાં પ્રતીસેકંડે વીસ હાજારથી
- Get link
- Other Apps
સવાલ : બે મોટા શહેરોને જોડાતા ટુ - લેન કે ફોર લેન ધોરી માર્ગને અંગ્રેજીમાં માત્ર WAY ને બદલે HIGHWAY શા માટે કહે છે ? જવાબ : ઘણા અંગ્રેજી શબ્દો એવા છે કે જેમને લાગતી ઐતિહાસિક વાતો જાણો ત્યારે ખબર પડે કે અંગ્રેજી ભાષામાં તેઓ શી રીતે આવ્યા, હાઇવે શબ્દ મૂળ પ્રાચીન રોમના સામ્રાજ્યમાં બંધાયેલા રસ્તા માટે વપરાતો હતો. રોમન સમ્રાટોએ પોતાનાં લગભગ 200 નગરોને પરસ્પર જોડી દેતા કુલ 80,000 કિલોમીટર લાંબા હાઇવે બાંધ્યા હતા. વિશાળ સામ્રાજ્યમાં ઘોડેસવાર અને રથસવાર સૈનિકોની ટૂકડીઓ ઝડપી અવરજવર કરીને ગમે તે ખૂણે તરત પહોંચી શકે એ માટે બધા રસ્તા પાકા બનાવવામાં આવ્યા હતાં, ઊંચાઈ પણ આસપાસની જમીન કરતાં સહેજ વધારે, જેથી ચોતરફ દૂર નજર માંડી શકાય અને દુશ્મન સૈન્ય અણધાર્યો હુમલો કરવા આવતું હોય તો આક્રમણ છાનું રહે નહિ, ઊંચા રસ્તા પાર વરસાદનું પાણી ન ભરાય એ બીજો ફાયદો હતો. ઊંચા લેવલને કારણે રોમનોના ધોરી માર્ગો હાઇવે કહેવાયા અને પછી તો બીજા દેશોમાં પણ બે શહેરને જોડાતો દરેક મુખ્ય માર્ગ હાઇવે તરીકે ઓળખાયો,
- Get link
- Other Apps
પ્રશ્ન : વનસ્પતિ સૂર્યકિરણો વડે પ્રકાશ સંશ્લેષણ કરે એ રીતે ઇલેક્ટ્રિક લાઈટના કૃત્રિમ પ્રકાશ વચ્ચે ખોરાક બનાવવાની તે ક્રિયા ચલાવી શકે કે નહિ ? જવાબ : પ્રકાશની તરંગ લંબાઈ 300 થી 700 નાનોમીટર વચ્ચેની હોય એટલું વનસ્પતિ માટે પૂરતું .છે. ( 1 નેનોમીટર એટલે મીટરનો એક અબજમો ભાગ) વનસ્પતિની સારી વૃદ્ધિ ટ્યુબલાઈટને બદલે વિદ્યુત બલ્બના પ્રકાશ નીચે થાય, કેમ કે બલ્બના ઘણા ખરાં પ્રકાશકિરણો વનસ્પતિને માફક આવતાં 550 થી 700 નેનોમીટરના હોય છે, ટ્યુબલાઈટના ઓછી તરંગ લંબાઈના કિરણો નીચે વનસ્પતિ જરા કુંઠિત રહે છે. આજકાલ નવી અને ક્રાંતિકારી ખેતીપદ્ધતિ મુજબ બહુમાળી મકાનોના દરેક મજલે સ્થાપવામાં આવતા માટી રહિત હાઇડ્રોપોનિક ફાર્મ માટે LEDનો કૃત્રિમ પ્રકાશ જ વપરાય છે. શાકભાજીના છોડની વૃદ્ધિનો ક્રમ માત્ર દિવસે જ નહિ, રાત્રે પણ ચાલુ રહે છે. હવે જમાનો આવા Vertical farming નો છે.